Abhayam News
AbhayamNews

સુરત:- રાત્રી કર્ફ્યૂને લઈને કમિશનરનું જાહેરનામું,

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેર વિસ્તાર વસ્તીની દૃષ્ટીએ ગીચ અને ભીડભાડવાળુ હોવાથી નોવેલ કોરોના વાયરસનું ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જાહેર જનતાના હિતમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરના પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ શહેરમાં તા.31/07/2021 નાં સવારે 6:00 વાગ્યાથી તા.17/08/2021 સવારના 06:00 કલાક સુધી રાત્રી કર્ફ્યૂનો અમલમાં રહેશે તેમજ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

(1) બીમાર વ્યક્તિ,સગર્ભાઓ,અશકત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છુટ રહેશે. (2) મુસાફરોને રેલ્વે,એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(3) રાત્રી કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં.

(4) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.

(5) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર , ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન,સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(6) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

ઉપરાંત શહેરમાં રાત્રી કર્ફ્યૂ સમયગાળા દરમિયાન નીચે મુજબના નિયંત્રણો અમલમાં રહેશે.

તમામ દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર,તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રીના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહીં )

રેસ્ટોરેન્ટસ રાત્રીના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહીં )

રેસ્ટોરેન્ટસ Home Delivery ની સુવિધા રાત્રીના 12: 00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

જીમ 60 % ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહીં)

જાહેર બાગ-બગીચાઓ રાત્રીના 09:00 સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ખુલ્લા રાખી શકાશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ 150 (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે .લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. H. અંતિમ ક્રિયા / દફન વીધી માટે મહતમ 40 (ચાલીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય/સામાજિક/શૈક્ષણિક/ સાંસ્ક્રુતિક/ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન , ખુલ્લામાં . મહત્તમ 200 (બસો) વ્યકિતઓની પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 200 વ્યકિતઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.

ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહતમ 50% વિધાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા કોચિંગ સેન્ટરો/ ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખી શકાશે નહીં )

શૈક્ષણીક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. K.શાળા , કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક /ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.સાથે યોજી શકાશે.

વાંચનાલયો 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં )

પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી બસ સેવાઓ 100 % ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહતમ 75% પેસેન્જર કેપેસીટીમા ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ

સેવાઓને રાત્રી કર્ફયુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર તેમજ અન્ય સ્ટાફે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે. ( રમત-ગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળૉ મહતમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળૉ ચાલુ રાખી શકાશે નહીં )

વોટર પાર્ક, તથા સ્વિમિંગ પૂલ મહતમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વોટર પાર્ક, તથા સ્વિમિંગ પૂલ ચાલુ રાખી શકાશે નહીં )

રાજ્યમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફૂટની ઉંચાઈ ધરાવતી મૂર્તિની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ અંગે અન્ય નિર્ણયો જે-તે સમયની કોરોનાની જે પરિસ્થિતિ રહેશે. તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.

સ્પા સેન્ટરો બંધ રહેશે.

ઉપરોક્તમાં જણાવેલી બાબતો સંદર્ભમાં જે વ્યક્તિઓના (RTPCR ટેસ્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસ થી હોસ્પીટલની ડીસ્ચાર્જ સમરીની તારીખ થી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.)

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃતિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે. (1) Covid-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.

મેડીકલ,પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.

ઓક્સિજન ઉત્પાદક અને વિતરણ વ્યવસ્થા.

ડેરી,દુધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન,વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.

શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ .

કરિયાણું,બેકરી બધા પ્રકારની ખાધ સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.

અનાજ તથા મસાલા દળવાની ઘંટી

ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.

ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/આઇ.ટી અને આઇ.ટી સંબંધિત સેવાઓ.

પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા,ન્યૂઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.

પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી /સી.એન.જી /પી.એન.જી ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ,પોર્ટ ઓફ લોડીંગ,ટર્મિનલ ડેપોઝ,પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન , ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ

પોસ્ટ અને કુરીયર સર્વિસ

ખાનગી સિક્યુરીટી સેવાઓ

પશુ આહાર ઘાસ ચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબધીત સેવાઓ

કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરીવહન અને પુરવઠા વ્યવસ્થા (16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરીવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ (17) આંતર રાજ્ય, આંતર જીલ્લા, અને આંતર શહેરોની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ

તમામ પ્રકારના ઉત્પાદન/ઔધોગિક એકમો અને તેને રો મટીરીયલ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.જે દરમિયાન Covid-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

બાંધકામને લગતી પ્રવૃતિ ચાલુ રહેશે. જે દરમિયાન Covid-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.

તમામે ફેસ કવર,માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને મળી મોટી સિદ્ધિ

Vivek Radadiya

ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટના 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ….

Abhayam

‘એનિમલ’ પરથી ‘આલ્ફા મેલ’ શબ્દ આવ્યો ચર્ચામાં

Vivek Radadiya

2 comments

Comments are closed.