અયોધ્યા રામ મંદિરનું રેલવે સ્ટેશન હશે આટલું સુંદર રેલવે દ્વારા અયોધ્યા આવતા પ્રવાસી જૂથો માટે ચાર્ટર્ડ સેવા તરીકે કેટલીક ટ્રેનો બુક કરવાનો વિકલ્પ પણ આપશે. તે જ સમયે, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે, ત્યારે IRCTC સહિત રેલવે અને ટિકિટિંગ PSU દ્વારા 10-15 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે 24 કલાક કેટરિંગ સેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
![The railway station of Ayodhya Ram temple will be so beautiful](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/AYODHYA-RAILWAY-STATION-1.jpg)
અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. અયોધ્યાના બીજેપી સાંસદ લલ્લુ સિંહે બુધવારે ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ પહેલા 30 ડિસેમ્બરે પીએમ અયોધ્યામાં નવા એરપોર્ટ અને નવનિર્મિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે
અયોધ્યા રામ મંદિરનું રેલવે સ્ટેશન હશે આટલું સુંદર
આ દરમિયાન અયોધ્યાના રેલવે સ્ટેશનની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો ખૂબ જ આકર્ષક છે અને તેમાં રેલવે સ્ટેશન ખૂબ જ ભવ્ય અને સુંદર લાગે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલવે સ્ટેશન સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ આવું દેખાશે.
![The railway station of Ayodhya Ram temple will be so beautiful](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/AYODHYA-RAILWAY-STATION-2.jpg)
રામ મંદિરની ઝલકની સાથે આ સ્ટેશન પર આધુનિક સ્થાપત્ય પણ જોઈ શકાય છે. આ સ્ટેશન પર મુસાફરોને તમામ આધુનિક સુવિધાઓ મળશે. રેલવે દેશના વિવિધ ભાગોથી અયોધ્યા સુધી ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને તેમાં માત્ર એક નહીં પરંતુ ડઝનબંધ ટ્રેનોનો સમાવેશ થાય છે.
રેલવે દ્વારા અયોધ્યા આવતા પ્રવાસી જૂથો માટે ચાર્ટર્ડ સેવા તરીકે કેટલીક ટ્રેનો બુક કરવાનો વિકલ્પ પણ આપશે. જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે, ત્યારે IRCTC સહિત રેલવે અને ટિકિટિંગ PSU દ્વારા 10-15 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે 24 કલાક કેટરિંગ સેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
![The railway station of Ayodhya Ram temple will be so beautiful](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/AYODHYA-RAILWAY-STATION-5.jpg)
મુસાફરોના ખાવા પીવાની માંગને પહોંચી વળવા માટે ખાણીપીણીના અનેક સ્ટોલ પણ ગોઠવવામાં આવશે. આ તમામ તૈયારીઓને લઈને રેલવે પ્રશાસન દ્વારા કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 19 જાન્યુઆરી પછી મુસાફરો માટે અયોધ્યા સુધી ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવશે.
રામ મંદિરના ઉદ્ઘાટનમાં ભાગ લેવા આવનારા ભક્તો માટે 19 જાન્યુઆરીથી ટ્રેનોનું સંચાલન શરૂ થશે. અયોધ્યાને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા, નાગપુર, લખનઉં અને જમ્મુની સાથે અન્ય ઘણા શહેરો સાથે જોડવામાં આવશે. મુસાફરોને દરેક સુવિધા આપવા માટે અયોધ્યા સ્ટેશનને નવો લુક આપવામાં આવ્યો છે.
![The railway station of Ayodhya Ram temple will be so beautiful](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/AYODHYA-RAILWAY-STATION-4.jpg)
આ સ્ટેશનમાં ફૂડ કોર્ટ, એસી વેઈટિંગ લોન્જ, એસ્કેલેટર, લિફ્ટ, વાઈફાઈ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત, IRCTC યાત્રા દરમિયાન મુસાફરોને 24 કલાક કેટરિંગ સેવા પણ પ્રદાન કરશે. સરયુ નદી પર ઈલેક્ટ્રિક રાઈડ પણ મુસાફરો માટે એક નવું આકર્ષણ બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે