Abhayam News
AbhayamNews

જુઓ જલ્દી:-ખોડલધામ બાદ હવે સોમનાથથી ગુજરાતનું રાજકારણ ગરમાશે….

આ સમાજ મહાસંમેલન બોલાવાની તૈયારીમાં………

રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાં જ ચૂંટણીને લઈને દોડધામ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા જ ખોડલધામ ખાતે રાજ્યના 10 મોટા પાટીદાર અગ્રણીઓએ બેઠક કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઈ. બેઠકમાં નરેશ પટેલે નિવેદન આપી દીધું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેના પર ચર્ચા કરવામાં આવશે સમાજ કઈ રીતે આગળ આવે તેના પર ચર્ચા કરવામાં આવશે. ત્યારથી જ ગુજરાતમાં જાતિગત રાજકારણ પણ ગરમાયું છે.

પાટીદારો બાદ હવે ગુજરાતમાં કોળી સમાજમાં હિલચાલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આટલું જ કોળી સમાજનું માનવું છે કે રાજ્યમાં રાજકીય પદ અને ટિકિટ ફાળવણીમાં પણ અન્યાય કરવામાં આવે છે. એવામાં હવે કોળી સમાજ દ્વારા મહાસંમલેન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને આ ચૂંટણી પહેલા રાજ્યમાં સામાજિક અને રાજકીય હલચલ અચાનક જ તેજ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓ અત્યારથી ચૂંટણીના મૂડમાં આવી ગઈ હોય તેમ તૈયારીઓ શરૂ કરી રહી છે જ્યારે સામે પક્ષે પાટીદાર સહિતના સમાજના આગેવાનો રાજકીય દ્રષ્ટિએ સક્રિય થઈ ગયા છે.

પાટીદાર બાદ કોળી સમાજમાં ચર્ચા તેજ..


ટિકિટ ફાળવણીમાં અન્યાયની ચર્ચા…


મહાસંમેલન બોલાવવાની તૈયારીઓ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ ઘાસથી બનેલા ઘરેણા સોના, ચાંદીના દાગીનાને ટક્કર મારશે

Vivek Radadiya

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Vivek Radadiya

કલેકટરની એક વિનંતીએ NCCના 56 જેટલા છોકરા છોકરી સ્વેચ્છાએ સુરત સિવિલમાં કોરોના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા..

Abhayam