Abhayam News
AbhayamGujarat

રામ મંદિર ટ્રસ્ટે પુજારીઓની ભરતી માટે મંગાવી અરજીઓ

રામ મંદિર ટ્રસ્ટે પુજારીઓની ભરતી માટે મંગાવી અરજીઓ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, અને પુજારીઓની ભરતી કરવાની વાત કરી છે

રામ મંદિર ટ્રસ્ટે પુજારીઓની ભરતી માટે મંગાવી અરજીઓ

Ayodhya News: ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, અને પુજારીઓની ભરતી કરવાની વાત કરી છે. જાણો અહીં શું છે પુજારીઓ માટેની સિલેક્શન પ્રૉસેસ….

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર એક નૉટિફિકેશન જાહેર કર્યુ છે.

રસ ધરાવતા લોકો, જેમની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેઓ 31 ઓક્ટોબર સુધી ટ્રસ્ટને ઈમેલ કરીને અરજી કરી શકે છે. અયોધ્યા વિસ્તારમાં રહેતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયામાં નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે ટ્રસ્ટે પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોએ છ મહિનાની તાલીમ લેવી પડશે.

ટ્રસ્ટ અનુસાર, ઉમેદવારોને તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને 2,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમને ભોજન અને રહેવાની સુવિધા પણ આપવામાં આવશે.

ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે અન્ય માપદંડ એ છે કે અરજદારોએ રામાનંદી પરંપરામાં દીક્ષા લીધી હોવી જોઈએ અને ઓછામાં ઓછા છ મહિના સુધી શિક્ષણની ગુરુકુલ પદ્ધતિમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ

તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને ટ્રસ્ટ પ્રમાણપત્રો આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ

Vivek Radadiya

સરકારી મિનીરત્ન કંપની IREDA નો IPO ખુલ્યો

Vivek Radadiya