Abhayam News
AbhayamEditorialsIPS Ramesh Savani

IPS રમેશ સવાણી :: પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

લોક ગાયિકા નેહાસિંહ રાઠોડે 31 ઓગષ્ટ 2022ના રોજ, વૃંદાવન નિવાસી દેવ મુરારીબાપૂનો વીડિઓ ટ્વિટ કર્યો છે. આ બાપૂના મત મુજબ કુર્મી પટેલો-પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

હિન્દુત્વનો ઝંડો ઊઠાવનારાઓ; સૂતાધારી અને માલાધારી વચ્ચેનો ફરક સમજતા નથી ! સૂતાધારી એટલે જે જનોઈ ધારણ કરે છે; અને માલાધારી એટલે જે માળા ધારણ કરે છે. દેવ મુરારીબાપૂ કહે છે : “એ જાતિનો કુર્મી પટેલ છે, હું રઘુવંશી છું. સંતોમાં જાતિના બે જાતિભેદ છે. જો કોઈ છોટી જાતિનો હોય તો તેને માલાધારી કહે છે અને જો બ્રાહ્મણ/ઠાકુર/વૈશ્ય જાતિના હોય તો તેને સૂતાધારી કહે છે. હું સૂતાધારી છું. સૂતાધારીને મંદિરમાં પૂજાનો અધિકાર છે. માલાધારીને મંદિરમાં ઘૂસવા ન દેવાય/રસોઈમાં ઘૂસવા ન દેવાય, કેમકે એ કુર્મી પટેલ છે. કુર્મી તેની જાતિ મુજબ ચાલે, રઘુવંશી સાથે ટક્કર લેવાની કોશિશ ન કરે !”

પોલીસ, 1 ડીસેમ્બર 2021ના રોજ દેવ મુરારીબાપૂને, એક ગુનાના કામે એરેસ્ટ કરવા ગઈ ત્યારે દેવ મુરારીબાપૂએ ચાકૂ લઈ પોતાના હાથની નસ કાપવાનો ઢોંગ કરેલ ! પોલીસે દેવ મૂરારીબાપૂને બળજબરી કરીને એરેસ્ટ કરેલ; એ પોલીસમાં કુર્મી/ OBC/ SC/ ST/મુસ્લિમો હતા; તેનો વિરોધ કેમ ન કર્યો? સવાલ એ છે કે સંતોમાં પણ જાતિવાદ? હિન્દુત્વ-હિન્દુત્વનો ગોકીરો કરનારને શું સમજવું? આ સ્વામિઓ જ્યારે હોસ્પિટલાઈઝડ થાય ત્યારે બ્લડ લેતી વખતે પાટીદારો/OBC/SC/STનું બ્લડ કેમ લેતા હશે? અરે, મુસ્લિમનું બ્લડ કેમ લેતા હશે? આ બાપૂઓ/ સ્વામિઓ/ સંતો જે ઘઉં/શાકભાજી/દૂધ ખાય છે તેનું ઉત્પાદન પાટીદારો/ OBC/ SC/ ST/મુસ્લિમો કરે છે; છતાં કેમ ખાતા હશે?rs

Related posts

અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે

Vivek Radadiya

વર્લ્ડ કપ 2023 આપણી સંસ્કૃતિના નવ સિમ્બોલ  બતાવ્યા 

Vivek Radadiya

ગુજરાતમાં કેટલા વ્યક્તિને છે દારૂની પરમિ

Vivek Radadiya