Abhayam News
AbhayamGujarat

મણિયારાના ગાયક મુરુભાઈ બારોટનું નિધન

Maniara singer Murubhai Barot passes away

મણિયારાના ગાયક મુરુભાઈ બારોટનું નિધન Death of Mulobhai Barot : મણીયારાના માણીગર તરીકે ઓળખાતા લોક ગાયક મુળુભાઈ બારોટનું નિધન થયું છે. પોરબંદરના સુપ્રસિદ્ધ મણિયારાના ગાયક મુરુભાઈ બારોટનું નિધન થતાં ગુજરાતે એક પીઢ લોકગાયક ગુમાવ્યા છે. મહત્વનું છે કે, આજે સાંજે મુરુભાઈ બારોટની અંતિમયાત્રા નીકળશે. વિગતો મુજબ DJ અને મણીયારા રાસ સાથે મુરુભાઈની અંતિમયાત્રા નીકળશે. 

મણિયારાના ગાયક મુરુભાઈ બારોટનું નિધન

પોરબંદરના સુપ્રસિદ્ધ મણિયારાના ગાયક મુરુભાઈ બારોટનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મુળુભાઈ બારોટ યુવા વયથી જ પોરબંદરના વિશ્વ વિખ્યાત મણીયારો રાસ મંડળ સાથે ગાયક તરીકે જોડાયેલા હતા. વિશ્વના અનેક દેશોમાં તેમણે મણીયારો રાસના ગાયક તરીકે પોતાની પ્રસ્તુતી રજુ કરી હતી.

એકદમ સરળ વ્યક્તિત્વ ધરાવતા મુળુભાઈએ આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં આકરી મહેનત અને સંગીત સાધનાથી ગાયકી ક્ષેત્રે એક આગવી ઓળખ બનાવી હતી. તેમના નિધનથી માત્ર પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતે એક પીઢ લોકગાયક ગુમાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

SMC એ ફાયર સેફ્ટીના અભાવે આટલી હોસ્પિટલ અને દુકાન સીલ કરી..

Abhayam

UN ક્લાઈમેટ સમિટ 2028 ભારતમાં કરાવવા માગે છે

Vivek Radadiya

માર્કેટમાં ધૂમ વેચાઇ રહ્યાં છે ભેળસેળ વાળા ડ્રાયફ્રૂટ્સ

Vivek Radadiya