Abhayam News
AbhayamGujarat

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી

Entry to sanctum sanctorum only for 4 dignitaries during Pran pratistha of Ram temple

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી નવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે. 

Entry to sanctum sanctorum only for 4 dignitaries during Pran pratistha of Ram temple

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી

પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે. જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહે છે. જે બાદ રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવે છે, જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.

Entry to sanctum sanctorum only for 4 dignitaries during Pran pratistha of Ram temple

આવતા મહિને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’થી શણગારવામાં આવી રહ્યો છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મહેસાણામાંથી ઝડપાયો 25 ટન નકલી જીરુંનો જથ્થો

Vivek Radadiya

અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરામાં ચક્કાજામ

Vivek Radadiya

ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા

Vivek Radadiya