Abhayam News
National Heroes

‘શહીદ ભગતસિંહ’ – કેવું રહ્યું તેમનું જીવન!

‘ભગત સિંહ’ જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનૂન આવી જાય છે. એક સાચા દેશભક્તની છબી સામે આવી જાય.. માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં. નાની ઉંમરમાં તેમણે દેશ માટે જે કર્યું તે સદીઓ સુધી ન ભુલી શકાય.

જન્મ 28મી સપ્ટેમ્બર 1907 (લયલપુર)
માતાનું નામ વિધ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ

નાનપણથી તેઓ જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા’તાં. કરતાર સિંહનાં મૃત્યુંની તેમના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ’તી. જેમને તે પોતાના આદર્શ માનતા અને 19 વર્ષની ઉંમરે ફાંસી અપાઈ’તી

સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું. તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશનની હત્યા કરી’તી . અંગ્રેજો દ્વારા જાહેર કરેલ ‘યુનિયન ડીસપ્યુટ બીલ’ અને ‘ પબ્લિક સેફ્ટી બીલ’ નો વિરોધ કર્યો’તો. બ્રિટીશ ગવર્મેન્ટ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાથી તેમની મિત્રો સહિત ધરપકડ કરાઈ

મનમાં નિશ્ચય કર્યો કે ગમે તે થાય અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે
તે માટે પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર હતાં.જલીયાવાલા બાગ હત્યાંકાંડ સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીબાર કર્યો. આ જોઈ તેમનું મન ખુબ જ હચમચી ગયું હતું. આથી ત્યાં પડેલા શહીદોના લોહીને અડીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી. આ સાહસમાં ભાગીદાર હતાં તેમના ખાસ મિત્રો સુખદેવ અને રાજગુરુ

8 એપ્રીલ 1929 એ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી અપાઈ
ફ્કત 23 વર્ષની નાની ઉંમરે જ ભગતસિંહે દેશ માટે ઘણુ કર્યું હતું
તેથી તેમને ‘શહીદ ભગતસિંહ’ કહેવામાં આવે છે.

આજે પણ દેશમાં જો કોઇ નવયુવાન કાંઇ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવાય છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતાં અને અત્યારે પણ છે. જે દેશના નામે કાંઇ પણ કરવા માટે તૈયાર છે.
તેથી જ આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કોઇની હિંમત નથી થતી.
ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી અને આજે આપણો દેશ સુરક્ષિત છે . આપણે શાંતિથી રહી શકીએ છીએ.
ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને..

Related posts

કરોડો લોકોની નજર સિલ્ક્યારા ટનલ પર

Vivek Radadiya

2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં કંગના રણૌતનું મોટું એલાન

Vivek Radadiya

“કેપ્ટ્ન વિક્રમ બત્રા !!!” – કારગીલ યુદ્ધના “શેરશાહ” હીરો

Abhayam

3 comments

Comments are closed.