Abhayam News
AbhayamNews

દુનિયાનું સૌથી સુંદર ગામમાં કેમ વસે છે ફક્ત એક બાળક, કારણ જાણીને ચોંકી જશો.

ઈંગ્લેન્ડમાં પોર્ટલો નામનું એક ખૂબ જ સુંદર ગામ

ઈંગ્લેન્ડમાં પોર્ટલો નામનું એક ખૂબ જ સુંદર ગામ છે, પરંતુ ત્યાં રહેવા માટે કોઈ લોકો નથી. ગામના તમામ લોકો ભાગીને શહેરમાં જતા રહ્યાં છે. 90 ઘરોમાં ફક્ત એક બાળક રહે છે. પરંતુ, તેની પાછળનું કારણ ખૂબ જ અજીબ છે.

સમુદ્રમાં ફિશિંગ

દરેક લોકો એવી જગ્યાએ રહેવાનું ઈચ્છે છે, જ્યાં શાંતિ અને સુકૂન હોય. પ્રાકૃતિક સૌંદર્ય અને સારા નજારા હોય. એક એવું ગામ છે જ્યાં આ બધી જ વસ્તુ હાજર છે. સમુદ્ર કિનારો, ખૂબ જ સુંદર પહાડો છતાં ત્યાં કોઈ રહેવાનું પસંદ કરતું નથી. તમામ લોકો ગામ છોડીને ભાગી રહ્યા છે. 90 ઘરોમાં ફક્ત એક બાળક રહે છે. તે પણ તેની જીદ્દ છે કે તે ગામ છોડીને જવા નથી માંગતો. નહીંતર, તેનું આખું ગામ ખાલી થઈ જતું. આ લોકો ગામ છોડીને ભાગી રહ્યા છે તેનું કારણ ખૂબ જ અજીબ છે. જે સમુદ્રમાં ફિશિંગ .

પ્રાકૃતિક ઘાટી ટૂરિસ્ટને લોભાવે છે

તમે વિચારી રહ્યા હશો કે અહીં ભૂત રહેતા હશે, તેથી લોકોને અહીં રહેવું નહીં પસંદ હોય. અથવા અહીં ચોરી કે લૂંટ-ફાંટ જેવી ઘટનાઓ બનતી હશે. પરંતુ, એવું જરાય નથી. પોર્ટલો નામથી ફેમસ ઈંગ્લેન્ડનું આ ગામમાં સૌથી સુંદર લોકેશનમાં છે. આવવા-જવાની પણ તકલીફ રહે છે, કારણકે ગામડા સુધી રસ્તાઓ બનેલા છે. આ પ્રાકૃતિક ઘાટી ટૂરિસ્ટને લોભાવે છે. અહીં સૂર્યોદયની તસવીરો લઈને દૂર-દૂરથી ફોટોગ્રાફર આવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ અહીં રજાઓ માણવા આવે છે. સમુદ્રમાં ફિશિંગ કેર છે, પરંતુ સ્થાનિક લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે.

અહીં કોઈ ઘર નથી ખરીદી શકતાં

હકીકતમાં, અહીં કોઈ ઘર ખરીદી પણ નથી શકતાં. કારણકે, ફક્ત 2 બેડરુમવાળા કૉટેજની કિંમત 4.5 કરોડથી વધારે છે. ત્રણ બેડરુમવાળું ઘર જો તમારે લેવું હોય તો તેની કિંમત 8.5 કરોડની આસપાસ છે. એટલી જ કિંમતમાં શહેરમાં સારુ એવું ઘર મળી જાય છે. લ્યૂક ડનસ્ટોને કહ્યું, આપણે લોકોની કમાણીની રીત બદલવી પડશે, સાથે જ ઘરોની કિંમત ઓછી કરવા પર વિચાર કરવો પડશે. તેથી, લોકો આ ઘરોની તરફ પરત આવે. સ્વર્ગની જેમ નજર આવતું આ ગામ નર્ક ન બની જાય. જૉન અને જેની કેસને કહ્યું, અહીં વાજબી ભાવે ઘરોની જરુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દક્ષિણ ગુજરાતના વિજકર્મીઓ સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો શરૂ કરવા રવાના થયા..

Abhayam

મોદી શાસન બાદ છેલ્લા સાત વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીયોએ નાગરીકતા છોડી..

Abhayam

સહારા રોકાણકારોના નાણાં પર આવ્યું નવું અપડેટ

Vivek Radadiya