Abhayam News
AbhayamNews

સુરત સિવિલે ખાતે કાર્ડધારકો દોડી ગયા : મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની નથી : સરકારનો ખુલાસો

રાજયના લોકોને મફતમાં સારવાર પૂરી પાડતી સરકારની મા અમૃતમ કાર્ડ યોજના બંધ થઇ જવાનો આજે મેસેજ વાયરલ થયો છે . જેના પગલે સુરત સહિત રાજ્યના શહેરોમાં રહેતા મા કાર્ડ ધારકોમાં ગભરાટ ફેલાયો હતો . સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્ડધારકો વેરિફિકેશન કરાવવા માટે દોડી ગયા હતા . બીજી તરફ સરકારે જણાવ્યું હતુંકે , યોજના અંગે જે મેસેજ વાયરલ થયા છે તે ખોટા છે . મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની જ નથી .

રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય.સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા ” મા અમૃતમ કાર્ડ બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદન સત્યથી વેગળા છે .

તેમણે ઉમેર્યું , ગરીબ અને મધ્યમ પરિવારનાનાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી મા અમૃતમકાર્ડ ” ની યોજનાનેરાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે યોજના બંધ કરવામાં આવનાર છે એવા ખોટા મેસેજ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે એ સમાચારો સત્યથી વેગળા છે એટલેનાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે .

તેમણે ઉમેર્યું , મુખ્યમંત્રી અમૃતમ “ મા ” , “ મા વાત્સલ્ય ” યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હો વાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની – મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે પરંતુ તમામ હોસ્પિટલો ને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે . તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલ બના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી .

Related posts

સુરત:-કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ .

Abhayam

જાણો ગ્રાહકોને કેટલા પૈસા પાછા મળશે,RBIએ આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું…

Abhayam

ગુજરાત કૅડરના આ પૂર્વ IAS અધિકારીને UPમાં ભાજપે આપ્યું મોટું પદ..

Abhayam