Abhayam News
AbhayamNews

ગુજરાતના આ 3 સાંસદ દિલ્હી પહોંચ્યા, આ મુદ્દે કેન્દ્ર સરકારને કરી રજૂઆત..

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે તા.10-02-2022ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત કરી હતી.

દિલ્લી ખાતેની આ મુલાકાત દરમ્યાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરની અછત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને જરૂરિયાતના સમયે યુરિયા ખાતર તથા DAP ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડીને સમયસર મદદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાર્થક કરવામાં મદદરૂપ થવા બદલ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

આ સાથે જ કૃષિમંત્રીએ આગામી ખરીફ ઋતુમાં રાજ્યના આયોજન પ્રમાણેનો ખાતરનો પુરવઠો ગુજરાતના ખેડૂતોને સમયસર મળી રહે એ માટે રજૂઆત પણ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરવઠો સમયસર પહોંચાડવાની બાહેંધરી આપતાં કૃષિમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રીની આ મુલાકાત દરમિયાન સાંસદ પુનમબેન માડમ અને સાંસદ રામ મોકરિયા સાથે રહ્યા હતા.

આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત લઈ જામનગર ગ્રામ્યના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ મંત્રી રાઘવજીએ આભાર વ્યકત કર્યો હતો.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આ ક્ષેત્રને એક નવી ઓળખ મળવા સાથે ક્ષેત્રના વિકાસને વેગ પણ મળશે.

સાથે જ ખીજડીયા પક્ષી અભયારણ્યની રામસર સાઈટ ખાતે વધુ રિસર્ચ, પક્ષી સંરક્ષણ, રોજગાર, પ્રવાસન અને વિકાસકાર્યોને આગળ ધપાવવા માટે તથા રાજ્યના પર્યાવરણને લગતા અન્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

મંત્રીની આ મુલાકાત દરમિયાન સાંસદો પુનમબેન માડમ, રમેશ ધડુક તથા રામ મોકરીયા સહભાગી થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો ગન લાયસન્સ એપ્લાય કરવાની એ ટુ ઝેડ પ્રોસીઝર

Vivek Radadiya

જાણો:-કોરોનાના કારણે 3 જુલાઇના રોજ લેવાનારી આ પરીક્ષા મોકૂફ..

Abhayam

સુરત: શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો

Vivek Radadiya