UGCની યુનિવર્સિટીઓને એમફિલમાં પ્રવેશ ન આપવાની ટકોર Education News: યુજીસીએ યુનિવર્સિટીઓને એમફિલ ડિગ્રીને માન્યતા ન આપવા સૂચન કર્યું છે. યુજીસીએ કહ્યું કે યુનિવર્સિટીઓએ સત્ર 2023-24 માટે પ્રવેશ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. યુજીસીના સેક્રેટરી મનીષ જોશીએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવતા કોઈપણ એમફિલ કોર્સમાં પ્રવેશ ન આપે
UGCની યુનિવર્સિટીઓને એમફિલમાં પ્રવેશ ન આપવાની ટકોર
UGCએ એમફિલ કોર્સમાં પ્રવેશ ન આપવા કે ન લેવા સૂચન કર્યું
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ યુનિવર્સિટીઓને એમફિલ કોર્સમાં પ્રવેષ ન આપવા ચેતવણી આપી છે કારણ કે તે માન્ય ડિગ્રી નથી. યુજીસીએ વિદ્યાર્થીઓને આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ન લેવા સામે ચેતવણી પણ આપી હતી. કમિશનના સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ એમ ફીલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી માટે નવી અરજીઓ મંગાવી રહી છે. આ સંદર્ભમાં દરેકના ધ્યાન પર લાવવામાં આવી રહ્યું છે કે એમ.ફીલ માન્ય ડિગ્રી નથી
UGCના સચિવે શુ કહ્યું ?
સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, યુજીસી પીએચડી ડિગ્રી માટે લઘુત્તમ લાયકાત અને પ્રક્રિયા નિયમો, 2022ના નિયમ નંબર14માં સ્પષ્ટપણે જણાવે છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોઈપણ એમફીલ પ્રોગ્રામમાં પ્રવેશ આપશે નહીં. કમિશને યુનિવર્સિટીઓને સત્ર 2023-24 માટે કોઈપણ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. મનીષ જોશીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોઈપણ એમફીલ પ્રોગ્રામમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે