શું માર્કેટમાં ફરી આવી રહી છે 1000 ની નોટ? ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રૂપિયાની નોટ અંગે અપડેટ આપ્યું અને કહ્યું કે, 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની 87 ટકા નોટ પરત આવી ચુકી છે. જો કે હવે એક નવા રિપોર્ટના કારણે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે
શું માર્કેટમાં ફરી આવી રહી છે 1000 ની નોટ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે અપડેટ કર્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની 87 ટકા નોટો પાછી આવી ગઈ હતી, પરંતુ 10 હજાર કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં ફરે છે. આરબીઆઈના આ અપડેટ બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા છે કે શું 1000 રૂપિયાની નોટ બજારમાં પાછી આવી રહી છે અને શું તેને ફરીથી જોઈ શકાશે?
RBI રૂ. 1000ની નોટ લાવવાની કોઇ યોજનામાં નથી અને ન તો રૂ. 1000ની કોઇ નવી નોટ જારી કરવાનું વિચારી રહી છે. ANI એ ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપી કે RBI ની 1000 રૂપિયા પરત લાવવાની કોઈ યોજના નથી.
ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું હતું કે બજારમાં રોકડ પ્રવાહને જાળવી રાખવા માટે સરકારે 500 રૂપિયાની પૂરતી નોટો છાપી છે, જેથી લોકોને રોકડ સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તે જ સમયે, ડિજિટલ પેમેન્ટના ઉપયોગથી લોકોમાં રોકડની જરૂરિયાત ઓછી થઈ છે. આવી સ્થિતિમાં RBIનું કહેવું છે કે 1000 રૂપિયાની નોટ લાવવાની જરૂર નથી. આરબીઆઈએ લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
ડિમોનેટાઇઝેશન 2016માં થયું હતું
નોંધનીય છે કે 2016માં કેન્દ્ર સરકારે રૂ.1000 અને રૂ.500ની જૂની નોટો બંધ કરી દીધી હતી અને તેમની જગ્યાએ રૂ.500 અને રૂ.2000ની નવી નોટો બહાર પાડી હતી. જો કે હવે સરકારે 2000 રૂપિયાની નોટ પણ પાછી ખેંચી લીધી છે. બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે.
2000 રૂપિયાની નોટ હજુ પણ અહીંથી બદલી શકાશે
જો કે, હાલમાં તમે RBI ઓફિસમાં રૂ. 2000ની નોટ બદલી અને જમા કરાવી શકો છો. દેશમાં આરબીઆઈની કુલ 19 પ્રાદેશિક કચેરીઓ છે, જ્યાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે